પીવાના પાણીમાં જુદી જુદી ધાતુ તેમજ આયનોના આંતરરાષ્ટ્રીય સ્તરે નક્કી થયેલ પ્રમાણ અને તેની અસરો ટૂંકમાં જણાવો.
પીવાના પાણી માટેના આંતરરાષ્ટ્રીય ધોરણો નીચે પ્રમાણે છે :
$(i)$ ફલોરાઇડ : પીવાના પાણીમાં ફ્લોરાઇડ આયનની સાંદ્રતા જાણવી જરૂરી છે. તેની ઊણપ માનવજાત માટે નુકસાનકારક
છે.જે દાંતના ક્ષયને માટે જવાબદાર છે, પીવાના પાણીમાં સામાન્ય રીતે દ્રાવ્ય ફલોરાઇડ ઉમેરવામાં આવે છે, જેની સાંદ્રતા
$1\,ppm$ અથવા $1\,mg\,dm^{-3}$ હોય છે.
ફલોરાઇડ આયન દાંતના કઠણ આવરણ હાઇડ્રોક્સિ એપેટાઇટ $[3(Ca_3PO_4.Ca(OH)_2]$ ને વધુ કઠણ આવરણ ફ્લોર એપેટાઇટ $[3(Ca_3PO_4)_2.CaF_2]$ માં રૂપાંતરિત કરે છે. જો $F^-$ આયનની સાંદ્રતા $2\,ppm$ કરતાં વધુ હોય તો દાંત પર કથ્થાઈ રંગના ડાઘા પડે છે. જયારે $F^-$ નું પ્રમાણ
$10 \mathrm{ppm}$ થી વધુ હોય તો હાડકાં અને દાંતને નુક્સાન કરે છે. જે રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં જોવા મળે છે.
$(ii)$ લેડ : પીવાના પાણીનું પરિવહન લેડ પાઈપ દ્વારા કરતાં લેડ પાણીમાં ભળે છે. પીવાના પાણીમાં લેડના પ્રમાણે સીમા $50 \mathrm{ppb}$ છે. લેડ કિડની, યકૃત અને પ્રજનન તંત્રને નુકશાન પહોંચાડે છે.
$(iii)$ સલ્ફેટ : પીવાના પાણીમાં સલ્ફેટનું વધુ પ્રમાણ એટલે કે $>$ $500 \mathrm{ppm}$ માનવીમાં વિરેયક અસર ઉત્પન્ન કરે છે. પરંતુ સલ્ફેટનું મધ્યમસર પ્રમાણ નુકસાનરહિત છે.
$(iv)$ નાઈટ્રેટ : પીવાના પાણીમાં નાઈટ્રેટની મહત્તમ સીમા $50 \mathrm{ppm}$ છે. પીવાના પાણીમાં નાઈટ્રેટનું વધુ પ્રમાણ મિથિમોગ્લોબીનેમિયા (બ્લુબેબી) જેવો રોગ પ્રેરે છે.
$(v)$ અન્ય ધાતુ : પીવાના પાછીમાં અન્ય ધાતુઓની મહત્તમ સાંદ્રતા જળવવી જરૂી છે. જે નીચેના કોષક દ્વારા સમજી શકાય.
ધાતુ | મહતમ સાંદ્રતા ($ppm$ $અથવા$ $mg$ dm $^{-3}$ ) |
$\mathrm{Fe}$ | $0.2$ |
$\mathrm{Mn}$ | $0.05$ |
$\mathrm{Al}$ | $0.2$ |
$\mathrm{Cu}$ | $3.0$ |
$\mathrm{Zn}$ | $5.0$ |
$\mathrm{Cd}$ | $0.005$ |
ક્ષોભ-આવરણમાં ઓઝોનના ક્ષયન માટે કઈ રાસાયણિક પ્રક્રિયાઓ થાય છે ?
વિભાગ $-I$ માં આપેલી પ્રવૃત્તિને વિભાગ $-II$ માં આપેલ ઉત્પન્ન થતા પ્રદૂષણ સાથે જોડો.
વિભાગ $-I$ | વિભાગ $-II$ |
$(A)$ સલ્ફરયુક્ત નકામા કચરાને બાળતા તેમાંથી ઉત્પન્ન થતા વાયુઓ વાતાવરણમાં ભળે છે. |
જળ પ્રદૂષણ |
$(B)$ જંતુનાશક તરીકે કાર્બોનેટનો ઉપયોગ | પ્રકાશરાસાયણિક ધૂમ-ધુમ્મસ, વનસ્પતિ જીવનને નુકસાન,મકાનોનું ક્ષારણ,શ્વાસની તકલીફ, જળપ્રદૂષણ. |
$(C)$ કપડા ધોવા માટે સાંશ્લેષિત પ્રક્ષાલકો વાપરવા | ઓઝોન સ્તરને નુકસાન |
$(D)$ વાહનો અને કારખાનામાંથી ઉત્પન્ન થતાં ધુમાડો વાતાવરણમાં છોડવો. |
મનુષ્યમાં ચેતાતંત્રને લગતા રોગો થવા. |
$(E)$ કયૂટરનાં વિવિધ ભાગોને શુદ્ધ કરવા ક્લોરોફલોરોકાર્બનનાં સંયોજનોનો ઉપયોગ કરવો. | પારંપરિક ધૂમ-ધુમ્મસ, ઍસિડ વર્ષા, પાણીનું પ્રદૂષણ, શ્વાસની તકલીફો, મકાનોને નુકસાન, ધાતુનું ક્ષારણ |
જળ પ્રદૂષણ વિશે પ્રાથમિક માહિતી ટૂંકમાં આપો.
વિધાન સાચું છે કે ખોટું ?
$(1)$ બાળકોમાં શ્વસનતંત્રનાં ગંભીર રોગ $NO_2$ વાયુને કારણે થાય છે.
$(2)$ કાર્બન મોનોક્સાઈડ રુધિરમાંના હીમોગ્લોબિન સાથે જોડાઈને કાબૉક્સિ-હિમોગ્લોબીન સંકીર્ણ બનાવે છે.
$(3)$ કાર્બોક્સિ-હીમોગ્લોબિન સંકીર્ણ તે ઓક્સિજન-હીમોગ્લોબિન કરતાં $100 $ ગણું વધુ થાયી છે.
$(4)$ વરસાદી પાણીનો $pH \,5.6$ ની આસપાસ હોય છે.
એસિડ વર્ષાની અસરો જણાવો.